એક ન્યાયાલયના કેસો અને અપીલો બીજી ન્યાયાલયને મોકલવાની ઉચ્ચતમ ન્યાયાલયની સતા - કલમ : 446

એક ન્યાયાલયના કેસો અને અપીલો બીજી ન્યાયાલયને મોકલવાની ઉચ્ચતમ ન્યાયાલયની સતા

(૧) જયારે પણ ઉચ્ચતમ ન્યાયાલયને એવું બતાવવામાં આવે કે ન્યાયના હેતુ માટે આ કલમ હેઠળ હુકમ કરવો ઇષ્ટ છે તો તે ન્યાયાલય કોઇ ચોકકસ કેસ કે અપીલ કે એક ઉચ્ચન્યાયાલયમાંથી બીજા ઉચ્ચન્યાયાલયને મોકલવાનો અથવા એક ઉચ્ચન્યાયાલયની સતા નીચે કોઇ ફોજદારી ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચન્યાયાલયની સતા નીચેના સમાન કે ચઢિયાતી હકૂમત ધરાવતા બીજા ફોજદારી ન્યાયાલયને આદેશ આપી શકશે.

(૨) ઉચ્ચતમ ન્યાયાલય આ કલમ હેઠળના પગલાં ભારતના એટની જનરલ કે હીત ધરાવતા પક્ષકારની અરજી ઉપરથી જ લઇ શકશે અને એવી દરેક અરજી વિધિસર રીતે કરવી જોઇશે અને ભારતનાના એટની જનરલ કે રાજયના એડવોકેટ જનરલ અરજદાર હોય તે સિવાય તેના સમથૅનમાં સોગંદનામું કે પ્રતિજ્ઞાપત્ર રજૂ કરવું જોઇશે.

(૩) આ કલમથી મળેલી સતા વાપરવા માટેની કોઇ અરજી કાઢી નાખવામાં આવે ત્યારે તે અરજી વીચાર વગરની કે ત્રાસદાયક હતી એવો ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય થાય તો ઉચ્ચતમ ન્યાયાલય કેસના સંજોગો જોતા પોતાને યોગ્ય લાગે તેટલી રકમ અરજદારે તે અરજીના સામાવાળાને વળતર તરીકે આપવી એવો હુકમ કરી શકશે.